ગેટવે ઓફ ઇન્ડિયા

ગેટવે ઓફ ઇન્ડિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના પાટનગર મુંબઇ શહેરના દક્ષિણ ભાગના દરિયાકિનારે કોલાબા વિસ્તારમાં આવેલું સ્મારક પ્રવેશદ્વાર છે. આ ઇમારત ૨૬ મીટર જેટલી ઉંચાઇ ધરાવે છે. અહીં પર્યટકો માટે નૌકા-વિહાર સેવા ઉપલબ્ધ છે.

ગેટવે ઓફ ઇન્ડિયા
ગેટવે ઓફ ઇન્ડિયા
ગેટવે ઓફ ઇન્ડિયાનું મહારાષ્ટ્રમાં સ્થાન
ગેટવે ઓફ ઇન્ડિયા (મહારાષ્ટ્ર)
ગેટવે ઓફ ઇન્ડિયા (ભારત)
સામાન્ય માહિતી
સ્થાનમુંબઈ, મહારાષ્ટ્ર
અક્ષાંસ-રેખાંશ18.9219°N 72.8346°E / 18.9219; 72.8346
બાંધકામ શરૂઆત૩૧ માર્ચ ૧૯૧૩
પૂર્ણ૧૯૨૪
ઉદ્ઘાટન૪ ડિસેમ્બર ૧૯૨૪
ખર્ચ૨૧ લાખ
માલિકભારતીય પુરાતત્વ વિભાગ
ઉંચાઇ26 m (85 ft)
પરિમાણો
વ્યાસ15 metres (49 feet)
રચના અને બાંધકામ
સ્થપતિજ્યોર્જ વિટૈટ
સ્થપતિ કાર્યાલયગેમ્મોન ઇન્ડિયા
પુન:નિર્માણ કરનાર
સ્થપતિજ્યોર્જ વિટૈટ
વેબસાઇટ
gatewayofindia.org

આ પ્રવેશદ્વારનું નિર્માણ ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમા અને રાણી મેરીના આગમન ૪ ડિસેમ્બર, ૧૯૧૧ સમયનો સ્મરણોત્સવ ઉજવવા માટે કરવામાં આવ્યું હતું. તેના નિર્માણ માટે પીળા રંગના આરસના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના સ્થપતિ જ્યોર્જ વિટૈટ નામના અંગ્રેજ હતા. આ પ્રવેશદ્વારનું નિર્માણકાર્ય ઇ. સ. ૧૯૨૪ના વર્ષમાં પૂર્ણ થયું હતું.

છબીઓ

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.