ગેટવે ઓફ ઇન્ડિયા
ગેટવે ઓફ ઇન્ડિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના પાટનગર મુંબઇ શહેરના દક્ષિણ ભાગના દરિયાકિનારે કોલાબા વિસ્તારમાં આવેલું સ્મારક પ્રવેશદ્વાર છે. આ ઇમારત ૨૬ મીટર જેટલી ઉંચાઇ ધરાવે છે. અહીં પર્યટકો માટે નૌકા-વિહાર સેવા ઉપલબ્ધ છે.
ગેટવે ઓફ ઇન્ડિયા | |
---|---|
![]() ગેટવે ઓફ ઇન્ડિયા | |
![]() ![]() ગેટવે ઓફ ઇન્ડિયાનું મહારાષ્ટ્રમાં સ્થાન ![]() ![]() ગેટવે ઓફ ઇન્ડિયા (મહારાષ્ટ્ર) ![]() ![]() ગેટવે ઓફ ઇન્ડિયા (ભારત) | |
સામાન્ય માહિતી | |
સ્થાન | મુંબઈ, મહારાષ્ટ્ર |
અક્ષાંસ-રેખાંશ | 18.9219°N 72.8346°E |
બાંધકામ શરૂઆત | ૩૧ માર્ચ ૧૯૧૩ |
પૂર્ણ | ૧૯૨૪ |
ઉદ્ઘાટન | ૪ ડિસેમ્બર ૧૯૨૪ |
ખર્ચ | ![]() |
માલિક | ભારતીય પુરાતત્વ વિભાગ |
ઉંચાઇ | 26 m (85 ft) |
પરિમાણો | |
વ્યાસ | 15 metres (49 feet) |
રચના અને બાંધકામ | |
સ્થપતિ | જ્યોર્જ વિટૈટ |
સ્થપતિ કાર્યાલય | ગેમ્મોન ઇન્ડિયા |
પુન:નિર્માણ કરનાર | |
સ્થપતિ | જ્યોર્જ વિટૈટ |
વેબસાઇટ | |
gatewayofindia.org |
આ પ્રવેશદ્વારનું નિર્માણ ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમા અને રાણી મેરીના આગમન ૪ ડિસેમ્બર, ૧૯૧૧ સમયનો સ્મરણોત્સવ ઉજવવા માટે કરવામાં આવ્યું હતું. તેના નિર્માણ માટે પીળા રંગના આરસના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના સ્થપતિ જ્યોર્જ વિટૈટ નામના અંગ્રેજ હતા. આ પ્રવેશદ્વારનું નિર્માણકાર્ય ઇ. સ. ૧૯૨૪ના વર્ષમાં પૂર્ણ થયું હતું.
છબીઓ
- એપોલો બંદર, ૧૯૦૫, જ્યાં હાલમાં ગેટવે ઓફ ઇન્ડિયા આવેલ છે
- રસ્તા પર કબૂતરો
- આકાશી દેખાવ
- કમાનોનું નકશીકામ
- ફૂલોની ભાત
- મિનારનો નજીકથી દેખાવ
- સાંજના સમયે ગેટવે
- ગુંબજનો અંદરનો દેખાવ
- નૌસેના દિવસની ઉજવણી, ૨૦૧૮
- તાજ હોટેલ અને ગેટવે ઓફ ઇન્ડિયા
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.