શિવનેરી કિલ્લો
શિવનેરી કિલ્લો ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ એક કિલ્લો છે. શિવનેરીનો આ પ્રાચીન ગઢ મહારાષ્ટ્ર રાજ્યના જુન્નર ગામ નજીક, પુણે શહેર થી લગભગ ૧૦૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. ભારત સરકાર દ્વારા આ કિલ્લાને ૨૬ મે, ૧૯૦૯ના દિને રાષ્ટ્રીય રક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું છે.[1]
શિવનેરી | |
---|---|
शिवनेरी | |
જુન્નર, પુણે જિલ્લો, મહારાષ્ટ્ર | |
![]() મુખ્ય પ્રવેશદ્વાર, શિવનેરી કિલ્લો | |
![]() ![]() શિવનેરી મહારાષ્ટ્રમાં શિવનેરી કિલ્લો ![]() ![]() શિવનેરી શિવનેરી (મહારાષ્ટ્ર) | |
અક્ષાંશ-રેખાંશ | 19.1990°N 73.8595°E |
પ્રકાર | સ્મારક |
સ્થળ વિષે માહિતી | |
આધિપત્ય | ![]() |
ના તાબામાં | ![]() ![]() ![]() |
જાહેર જનતા માટે ખુલ્લું | હા |
૧૯ ફેબ્રુઆરી, ૧૬૩૦ના દિને આ કિલ્લા ખાતે શિવાજી મહારાજનો જન્મ થયો હતો.
આ કિલ્લાની ચારે બાજુએ, મુશ્કેલ ચઢાણ હોવાથી, તેના પર જીત મેળવવી અત્યંત કઠીન છે. કિલ્લા પર શિવાઈ દેવીનું નાનું મંદિર તેમ જ બાળ-શિવાજી અને માતા જીજાબાઈની પ્રતિમાઓ છે. આ કિલ્લાનો આકાર ભગવાન શિવજીની પિંડી જેવો છે.
શિવનેરી કિલ્લો જુન્નર ગામમાં આવેલ છે. જુન્નર ગામમાં થી આ કિલ્લો જોઈ શકાય છે. આ ગઢ ખૂબ જ વિશાળ નથી. ઈ. સ. ૧૬૭૩ના વર્ષમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ડૉ. જ્હોન ફ્રાયરે આ કિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે પોતાની નોંધમાં, આ કિલ્લો હજાર પરિવારો માટે સાત વર્ષ ચાલી શકે, એટલી સિધા-સામગ્રી છે એમ ઉલ્લેખ કર્યો છે.
રસપ્રદ સ્થળો
- શિવાઈ માતા મંદિર: સાત દરવાજાઓ ધરાવતા આ ગઢના માર્ગમાં, આવતા પાંચમા એટલે કે સિપાઈ દરવાજો, પાર કર્યા બાદ મુખ્ય રાહ છોડી, જમણી બાજુ આગળ જતાં શિવાઈ દેવીનું મંદિર આવેલ છે. આ મંદિરની પાછળના ભાગમાં ૬ થી ૭ ગુફાઓ છે. આ ગુફાઓ રહેવા માટે અનુકૂળ નથી.
- અંબરખાના
- પાણીની ટાંકી: આ કિલ્લાના વિસ્તારમાં ગંગા, યમુના અને અન્ય નામની પાણી માટે ઘણી ટાંકીઓ છે.
- શિવકુંજ
- શિવ જન્મસ્થાન ઈમારત
- કડેલોટ કડા
કેવી રીતે જશો ?
- મુંબઈ થી માલસેજ માર્ગ દ્વારા: જુન્નર આવતા માલસેજ ઘાટ પાર કર્યા બાદ ૮ થી ૯ કિલોમીટર પર 'શિવનેરી ૧૯ કિ.મી.' નિર્દેશ આપતું બોર્ડ રસ્તાની એક તરફ દેખાય છે. આ માર્ગ ગણેશખીંડી થઈ શિવનેરી કિલ્લા સુધી જાય છે. ગઢ પર પહોંચવા માટે મુંબઇથી એક દિવસ લાગે છે.
છબીઓ
પુસ્તકો
- ડૉ. લહુ કચરુ ગાયકવાડ. शिवनेरीची जीवनगाथा [શિવનેરીચી જીવનગાથા] (મરાઠી માં). - શિવનેરીનો ઇતિહાસ વર્ણવતું પુસ્તક.