મહાદેવ ગોવિંદ રાનડે

ન્યાયાધીશ મહાદેવ ગોવિંદ રાનડેનો જન્મ ઇ.સ. ૧૮ જાન્યુઆરી ૧૮૪૨ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નિફાડ ગામે થયો હતો. 'હિંદી રાષ્ટ્રીય મહાસભા' (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ)ની સ્થાપનામાં તેઓએ આગળ પડતી ભૂમિકા ભજવી હતી. તે સમયના ભારતીય સમાજમાં વિધવા વિવાહ પર પ્રતિબંધ, અસ્પૃશ્યતા, બાળલગ્ન, વગેરે જેવા સામાજીક કુરિવાજો સામે પ્રજાને જાગૃત કરવાનું કાર્ય પણ તેમણે કર્યું. કૉલેજમાં અંગ્રેજી ભાષાના પ્રાધ્યાપક તરીકે નીમાયા અને ત્યારપછી મુંબઇ હાઇકોર્ટમાં ન્યાયધીશ તરીકે નિમણૂક થઇ. ’હિંદી રાષ્ટ્રીય મહાસભા’ ની સ્થાપનામાં તેઓ અગ્રણી હતા.તેમનો ‘મરાઠા સત્તાનો ઉદય’ ગ્રંથ ખૂબ પ્રમાણભૂત ગણાય છે. તેમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે પૂના જ રહ્યું હતું. વ્યાખ્યાનમાળા, ઔધિગિક પ્રદર્શન, પ્રાર્થના સમાજ જેવી અનેક સંસ્થાઓના તેઓ સ્થાપક હતા. ’વિધવા વિવાહ ઉત્તેજકમંડળ’ના તેઓ સક્રીય સભ્ય હતા. ૨૨ વર્ષના લગ્નજીવન પછી તેમના પત્ની ક્ષયથી અવસાન પામતાં બીજીવાર લગ્ન પણ કરેલા આપણાં ભારતીય સમાજમાં પેસી ગયેલાં અનેક કુરિવાજો, જેવા કે વિધવા વિવાહ પર પ્રતિબંધ, સ્ત્રીઓની અવનત દશા, અસ્પૃશ્યતાનું કલંક, બાળલગ્ન વગેરેમાં ફસાયેલી પ્રજાને જાગૃત કરી જીવનભર સમાજ સુધારાના પાયાનું મૂલ્યવાન કાર્યં કર્યું. હિન્દી, અર્થશાસ્ત્ર અને સમાજ સુધારણા પરનાં તેમના લખાણોએ રાષ્ટ્રીય વિચારધારાને ખૂબ બળ પૂરું પાડ્યું હતું. મહારાષ્ટ્રમાં પડેલા દુષ્કાળ સમયે ખેડુતોની આર્થિક સ્થિતિનું નિરીક્ષણ કર્યું. બ્રિટિશ સરકારે તેમને ફાઇનાન્સ કમિટીમાં પણ સમાવ્યા હતા.

મહાદેવ ગોવિંદ રાનડે
જન્મની વિગત૧૮ જાન્યુઆરી ૧૮૪૨ 
મહારાષ્ટ્ર 
મૃત્યુની વિગત૧૬ જાન્યુઆરી ૧૯૦૧ 
અભ્યાસનું સ્થળએલફીસ્ટન મહાવિદ્યાલય 
વ્યવસાયJudge, સર્જક, તત્વજ્ઞાની, લેખક 
જીવનસાથીRamabai Ranade 
પુરસ્કારCompanion of the Order of the Indian Empire 

૧૬ જાન્યુઆરી ૧૯૦૧ના રોજ તેમનું અવસાન થયું.

To dare to will execute and to be silent. તેમના જીવનનો મંત્ર હતો

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.